મુખ્ય સમાચારરાજ્ય
ગુજરાતમાં રહેતા પાકિસ્તાનીઓને ઘર ભેગા કરાશે, લિસ્ટ કરાયું તૈયાર! 438 લોંગ ટર્મ અને 7 શોર્ટ ટર્મ વિઝાવાળા પોલીસના હાથમાં!
અમદાવાદમાં સૌથી વધુ પાકિસ્તાની નાગરિકો જે લોંગ ટર્મ વિઝા અને શોર્ટ ટર્મ વિઝા, વિઝિટર વિઝા પર આવેલા નાગરિકોને પરત મોકલાયા, ભરૂચથી શહીદા બીબીને અટારી બોર્ડર મોકલાયા.

અમદાવાદ : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ અને ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોના વિઝા અંગે લેવાયેલા કડક નિર્ણયોના પગલે, ગુજરાત રાજ્યમાં રહેતા લોંગ ટર્મ વિઝા અને શોર્ટ ટર્મ વિઝા વાળા પાકિસ્તાની નાગરિકો અંગેની વિગતો સામે આવી છે. રાજ્યમાં વિવિધ વિઝા પર રહેલા પાકિસ્તાની નાગરિકોની સંખ્યા અને તેમના સ્થાન અંગે માહિતી પ્રાપ્ત થઈ છે, અને વિઝિટર વિઝા પર આવેલા નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા ધરાવતા કુલ 438 પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા છે. જ્યારે શોર્ટ ટર્મ વિઝા પર ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિકો રહી રહ્યા છે. શોર્ટ ટર્મ વિઝા ધરાવતા પાકિસ્તાની નાગરિકોના સ્થાનની વિગતો જોઈએ તો, 5 નાગરિકો અમદાવાદમાં છે, જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 નાગરિક મળી આવ્યા છે.