મુખ્ય સમાચારરાજ્ય

ગોંડલની ગંગોત્રી સ્કૂલએ ધોરણ 12 કોમર્સના પરિણામમાં ઉત્કૃષ્ઠ પરિણામના વારસાને આગળ વધાર્યું….

આજરોજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું પરિણામ જાહેર થયું ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કૂલે શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી

 

આજરોજ ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું પરિણામ જાહેર થયું ત્યારે ગોંડલની ગંગોત્રી સ્કૂલે શ્રેષ્ઠ પરિણામની પરંપરાને જાળવી ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા એવા સર ભગવતસિંહજી મહારાજ સાહેબના ગોકુળીયા ગોંડલને ગૌરવ અપાવ્યું. ગંગોત્રી સ્કૂલના ગુજરાતી માધ્યમના ધોરણ 12 કોમર્સ ના પરિણામમાં દેલવાડીયા ધ્રુવીએ 99.99PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ દેસાઈ પલકએ 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન તેમજ સોલંકી રાજ, પરમાર હિરલ અને ટોળિયા ઓમએ 99.95 PR સાથે બોર્ડમાં પાંચમુ સ્થાન તેમજ ગોંડલિયા ધ્રુવએ 99.93 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં સાતમું સ્થાન પ્રાપ્ત કરી ગંગોત્રી સ્કૂલ અને ગોંડલનું ગૌરવ વધાર્યું છે.


આ કોમર્સના પરિણામમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલનું પરિણામ 95.35% છે. જેમાં A1 ગ્રેડ 29 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જેમાં બોર્ડ ટોપટેનમાં 06 વિદ્યાર્થીઓ અને 99 PR ઉપર 21 વિદ્યાર્થીઓ, 98 PR ઉપર 33 વિદ્યાર્થીઓ, 97 PR ઉપર 38 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ ઉપરાંત SP&CC વિષયમાં 10 વિધાર્થી 100 માંથી 100 તેમજ STAT વિષયમાં 07 વિધાર્થી 100 માંથી 100 તેમજ ACCOUNT માં 03 વિધાર્થી 100 માંથી 100 અને BA વિષયમાં 02 વિધાર્થી 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે.

ધોરણ -12 સાયન્સ માં ગોંડલની ગંગોત્રી સ્કૂલનું પરિણામ 96.39 % છે. જેમાં A1 ગ્રેડ 05 વિદ્યાર્થીઓને અને A2 ગ્રેડ 17 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. જેમાં 99 PR ઉપર 06 વિદ્યાર્થીઓ, 98 PR ઉપર 09 વિદ્યાર્થીઓ, 97 PR ઉપર 12 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે. આ ધોરણ 12 કોમર્સ અને સાયન્સના શ્રેષ્ઠ પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ સરએ વિદ્યાર્થીઓ, શિક્ષકોને અને વાલીઓને આપ્યો છે. આ સાથે શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવેલ.
આજે જયારે ગંગોત્રી સ્કૂલનું ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે ત્યારે શ્રેષ્ઠ પરિણામ લાવનાર દરેક વિદ્યાર્થીઓને હાર પહેરાવી, મીઠાઈ ખવડાવી અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા તેમજ આતિશબાજી દ્વારા શ્રેષ્ઠ પરિણામની ઉજવણી કરવામાં આવી હતી.
આ શ્રેષ્ઠ સાયન્સનું શ્રેષ્ઠ પરિણામ લાવવા બદલ A1 ગ્રેડ મેળવતા 05 વિધાર્થીઓને ધોરણ 11 ને 12 સાયન્સની બન્ને વર્ષની સંપૂર્ણ ફી પરત કરવાની સંચાલક સંદીપસરએ જાહેરાત કરી હતી. આ જાહેરાતથી વિધાર્થી અને વાલીમાં ખુશીનો માહોલ છવાય ગયેલ હતો

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!