મુખ્ય સમાચારરાજ્ય

વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અને ભાજપ ગૌ સવર્ધન સેલ દ્વારા અમરેલીમાં નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ કરવામા આવ્યું

ઉનાળામાં પશુ-પક્ષીઓની સેવાનો સંદેશ - અમરેલીથી પ્રેરણાદાયી પહેલ

———————————
ઉનાળામાં પશુ-પક્ષીઓની સેવાનો સંદેશ – અમરેલીથી પ્રેરણાદાયી પહેલ
———————————–
સ્વ. સનીભાઈ ડાબસરાની પુણ્યતિથિએ મૂંગા જીવો માટે કરુણાનું કાર્ય.
——————————————–
ચાલો, સાથે મળીને મૂંગા જીવોની સંભાળ લઈએ – અમરેલીની પ્રેરણાદાયી ઘટના:-

 

————————————
અમરેલી: અમરેલીમાં કાળઝાળ ગરમી વચ્ચે મૂંગા જીવોની સેવા માટે એક ઉમદા કાર્યક્રમ યોજાયો હતો. સ્વ. શ્રી સનીભાઈ વિનુભાઈ
ડાબસરાની ચોથી માસિક પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ગૌ સવર્ધન સેલ અને વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ એનિમલ હેલ્પ
લાઇન દ્વારા બાલકૃષ્ણ એજન્સી (દામનગર)ના સહયોગથી અર્જુન નગર વિસ્તારમાં પક્ષીઓ માટે માળા, પાણીના કુંડા અને ચણનું
વિતરણ કરવામાં આવ્યું હતું.
વિધાનસભાના ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીના હસ્તે આ સેવાકાર્ય સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ મૂંગા જીવો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી અને ઉનાળાની ગરમીમાં આવા સેવાકાર્યોની
જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “આ પ્રવૃત્તિ માત્ર એક સેવા કાર્ય નથી, પરંતુ તે માનવતાના મૂલ્યો અને પ્રકૃતિ પ્રત્યેની
આપણી ફરજનું પ્રતીક છે.”
વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ અને ભારતીય જનતા પાર્ટીના ગૌ સવર્ધન સેલ દ્વારા બાલકૃષ્ણ એજન્સી દામનગરના સહયોગથી કરવામાં
આવેલો આ સંયુક્ત પ્રયાસ સ્થાનિક લોકોમાં જાગૃતિ લાવવામાં સફળ રહ્યો છે અને અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે. આવા
કાર્યોથી માનવ અને પશુ-પક્ષીઓ વચ્ચેના સહઅસ્તિત્વની ભાવના વધુ મજબૂત થશે તેવી આશા સાથે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ
થયો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહામંત્રી શ્રી મેહુલભાઈ
ધોરાજીયા, ભારતીય જનતા પાર્ટીના ગૌ સવર્ધન સેલના જિલ્લા સંયોજક શ્રી પ્રશાંતભાઈ ચુડાસમા, શહેર ભાજપ પ્રમુખ શ્રી
વિજયભાઈ ચોટલિયા, તાલુકા ભાજપ પ્રમુખ ચેતન ભાઈ ધાનાણી બજરંગ દળ જિલ્લા પ્રમુખ શ્રીવિદુરભાઈ ડાબસરા, શહેર
પ્રમુખ મહાવીરભાઈ વીંછીયા, જિલ્લા તેમજ શહેર ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો અને સદસ્યો, બજરંગ દળ અને
વિશ્વ હિન્દુ પરિષદની ટીમ તેમજ વૃંદાવન ગૌ સેવા ટ્રસ્ટ હેલ્પ લાઈનના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!