રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૬માં પાંજરાપોળ મેલડી માતાજીના મંદિર પાસે “એક્શન પ્લાન” અંતર્ગત રૂ.૧.૬૬ કરોડના ખર્ચે રસ્તાનું ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે તેમજ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૦૫/૨૦૨૫ ગુરૂવારના રોજ વોર્ડ નં.૬માં આવેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૧/૦૫/૨૦૨૫ ગુરૂવારના રોજ વોર્ડ નં.૬માં આવેલ (૧) મહિકા રોડ પર આવેલ જે.કે.રેસિડેન્સી ૧,૨ (૨) ભાવનગર રોડ પર આવેલ પાંજરાપોળ સોસાયટી (૩) સંતકબીર રોડ પર આવેલ સદગુરૂ રણછોડનગર (૪) પટેલવાડી સામે શીતળા માતા મંદિર રોડ તથા સૈફી કોલોની, એમ મળી કુલ રૂ.૧.૬૬ કરોડના ખર્ચે ડામર રી-કાર્પેટ કરવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે તેમજ મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, મંજુબેન કુગસીયા, દેવુબેન જાદવ, વોર્ડ નં.૬ પ્રભારી રસિકભાઈ પટેલ, પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, મહામંત્રી અનિલભાઈ ચૌહાણ, હરેશભાઈ ધંધુકીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શિક્ષણ સમિતિ સભ્ય વિરમભાઈ રબારી, પૂર્વ કોર્પોરેટર દલસુખભાઈ જાગાણી, યુવા મોરચા વોર્ડ પ્રમુખ રાહુલ રાઠોડ, વોર્ડ પ્રમુખ બક્ષીપંચ મોરચા વીકીભાઈ ટાંક, વોર્ડ પ્રમુખ મહિલા મોરચા નઝમાબેન પઠાણ, હેમરાજ ગરૈયા, નાગજીભાઈ બાંભવા, વિજયભાઈ મેથાણીયા, કિન્નરીબેન ચૌહાણ, હીનાબેન રાતોજા, અગ્રણી પરાગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ કુગસીયા, મનસુખભાઈ જાદવ, જૈવિનભાઈ ભાખર, હરેશભાઈ ટુડીયા, હિરેનભાઈ રાવલ, દીપેશભાઈ વૈષ્ણવ, સંજયભાઈ સોલંકી, શૈલેશભાઈ પ્રજાપતિ, દીપક ગજેરા, પિન્ટુભાઈ રાઠોડ, મનિષ રાઠોડ, શૈલેશભાઈ રાઠોડ, ભરતભાઈ ડંડેયા, રાજુભાઈ વિરસોડીયા, ખોડીદાસભાઈ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, સુશીલાબેન, નીતાબેન, ધર્મેશભાઈ ખેંગારીયા, જયંતિભાઈ અંબાસણીયા, પ્રવીણભાઈ માલકીયા, રોનકભાઈ જસાણી, સંદીપભાઈ સોલંકી, સૈફુભાઈ, મોહનભાઈ ગોદળકા, સૈફુદીન ભારમલ, કુત્બુદીન માકડા, અજીજભાઈ ભારમલ, યાહ્યાભાઈ ગાંધી, મુર્તુજા વાડીવારા વગેરે ઉપસ્થિત રહેલ.
આ કામ થવાથી મહિકા રોડ પર આવેલ જે.કે.રેસિડેન્સી ૧,૨, ભાવનગર રોડ પર આવેલ પાંજરાપોળ સોસાયટી, સંતકબીર રોડ પર આવેલ સદગુરૂ રણછોડનગર, પટેલવાડી સામે શીતળા માતા મંદિર રોડ તથા સૈફી કોલોની વગેરે સોસાયટીઓના લોકોને લાભ મળશે.