ભારતીય સૈન્યમાં ‘દેશ પ્રથમ’ ની રાષ્ટ્ર ભાવના, વિશ્વના અન્ય સૈન્ય કરતા વધુ પ્રભાવશાળી*
ભારતીય સૈન્યમાં ૩૨ થી વધુ વર્ષ સેવા આપી ચુકેલા બ્રિગેડિયર કે. લોગનાથને કાશ્મીર,

ભારતીય સૈન્યમાં ૩૨ થી વધુ વર્ષ સેવા આપી ચુકેલા બ્રિગેડિયર કે. લોગનાથને કાશ્મીર, મણીપુર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં લશ્કરી કામગીરી કરેલી છે. ભારતીય સેના, સૈનિક અને તેમની પ્રણાલી અંગે તેઓએ વાતચીત કરતાં જણાવ્યું છે કે, ભારત દેશનું સૈન્ય ખુબ જ મજબૂત છે. આપણા સૈન્યના જવાનો માટે રાષ્ટ્ર પ્રથમ છે. અહીં જાતિ, ધર્મ, પ્રદેશ થી ઉપર દેશ અને તેની સુરક્ષા છે. સેનામાં ભરતી થયેલા જવાનોને ‘નામ, નમક અને નિશાન’ ના ગુણો સાથે તૈયાર કરવામાં આવે છે, એટલે જ દરેક સૈનિક અલગ અલગ રેજિમેન્ટમાં હોઈ તો પણ તેઓનું એક મજબૂત બોન્ડિંગ હોવાનું ગ્રુપ કમાન્ડર કે. લોગનાથન ગૌરવ સાથે જણાવે છે.
આપણી સેના વિશ્વમાં બીજા ક્રમની સૌથી મોટી તેમજ ટેકનોલોજી અને વેપનની દ્રષ્ટિએ અમેરિકા, ચીન બાદ બાદ સશક્ત અને સમૃદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઈંડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ ને પરિણામે ભારતની સેના છેલ્લા દશ વર્ષમાં વધુ મજબૂત બની છે. આપણે શસ્ત્ર સરંજામ પહેલા બહારથી મંગાવતા હતાં, આજે ભારત તેની નિકાસ કરે છે. કોઈપણ દેશની સરહદો સુરક્ષિત હોઈ તે દેશ સારો વિકાસ વિકાસ કરી શકે છે, માટે જ આપણી સરહદો વધુ સુરક્ષિત રાખવી જરૂરી હોવાનું શ્રી લોગનાથન ભારપૂર્વક જણાવે છે.