છત્રાલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મોટાબાર કડવા પાટીદાર સમાજ સુધારક મંડળ આયોજીત કેમ્પસનું લોકાર્પણ તથા નારાયણ સમત્વ નેચરોપેથી સેન્ટરનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સહભાગી બનવા અને પ્રધાનમંત્રીશ્રીએ આપેલ નવ સંકલ્પોને ચરિતાર્થ કરવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી

વિકસિત ભારત અને વિકસિત ગુજરાત માટે સહભાગી બનવા અને પ્રધાનમંત્રીશ્રીએ
આપેલ નવ સંકલ્પોને ચરિતાર્થ કરવા અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રી
આ સંસ્થા કેચ ધ રેઇન, એક પેડ માં કે નામ, પ્રાકૃતિક ખેતી જેવા સંકલ્પો સાથે
અન્યોને પણ માર્ગદર્શન આપે
છત્રાલ ખાતે સમાજ સુધારક મંડળ દ્વારા આયોજીત કેમ્પસના લોકાર્પણ અને
નેચરોપેથી સેન્ટરના ઉદ્ધાટન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે @૨૦૪૭ વિકસિત
ભારત અને વિકસિત ગુજરાત માટે સહભાગી બનવા અને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ
મોદીએ આપેલ નવ સંકલ્પોને ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા આ નવ સંકલ્પો પૈકી કેચ ધ
રેઇન, સ્વછતાને સ્વભાવ બનાવીએ, એક પેડ માં કે નામ આહવાનથી વૃક્ષોનું વાવેતર કરીએ,
પ્રાકૃતિક ખેતી જેવા સંકલ્પો સાથે અન્યોને પણ માર્ગદર્શન આપે.વધુમાં તેમણે સંસ્થામાં શરૂ
કરેલ નેચરોપેથી સેન્ટર માટે પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખેતીને જાકારો આપવા
જણાવ્યુ હતુ.
આ તકે મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકાર દ્વારા દીકરીઓ માટે શરૂ કરેલ નમો લક્ષ્મી અને
નમો સરસ્વતી યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે,વિકાસના કોઈપણ
ક્ષેત્રમાં જ્યારે સરકાર સાથે સમાજ પણ જોડાય તો એ રાજ્ય અને રાષ્ટ્રીની વિકાસની ગતિ
બમણી થતી હોય છે.
આજના સમયમાં નાની ઉંમરમાં થતી ગંભીર બીમારીઓના પરિપેક્ષમાં
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ પ્રકારની સમસ્યાઓને નાથવા માટે પ્રાકૃતિક ખેતી આજના
સમયની માંગ છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને
રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી રાજ્યમાં મોટા ભાગના ખેડૂતો આ તરફ વળ્યા છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિનો
ચિતાર આપ્યો હતો તેમણે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલ સૂત્ર સૌનો સાથ,
સૌનો વિકાસ સાથે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે મોટાબાર કડવા
પાટીદાર સમાજ દ્વારા સમાજના અગ્રણીઓ તથા દાતાશ્રીઓ દ્વારા નિર્માણ કરેલ પાંત્રીસ
વિઘાના વિશાળ વિસ્તાર ધરાવતા દમ્પુ કેમ્પસ પટેલનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ
ઉપરાંત સમત્વ નેચરોપથી સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દમ્પુ કેમ્સમાં સમત્વ નેચરક્યોર સેન્ટરમાં પૃથ્વી, જળ, અગ્નિ,
વાયુ અને આકાશ શરીરના મુળભુત ઘટકોને ધ્યાન રાખીને સ્વાસ્થ્યની જાળવણી કરવામાં
આવશે. જેમાં હાઇડ્રોથેરાપી, મડથેરાપી, હેલિયોથેરાપી, પ્રાણાયામ સહિત આર્યુવેદ,
નેચરોથેરાપી, યોગ અને ધ્યાન, ફિઝીયોથેરાપી, પંચકર્મ, મસાજ અને બોડી થેરાપી, આહાર
અને જીવન શૈલી ફાસ્ટિંગથેરાપી, એક્યુપ્રેશર, એક્યુપંકચર સહિતની વિવિધ પ્રધ્ધતિઓ પર
વિશેષ ધ્યાન રાખવમાં આવે છે.
આ તકે મુખ્યમંત્રીશ્રીનું સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું
હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડો હર્ષદભાઇ પટેલ, પૂર્વ સાંસદશ્રી શારદાબેન પટેલ, સમાજ
અગ્રણી શંકરભાઇ પટેલ, ગોવિંદભાઇ પટેલ, વિક્રમભાઇ પટેલ, સમાજના અગ્રણીઓ, કેમ્પસના
નામકરણના દાતાશ્રીઓ, વેલેનેસ સેન્ટરના દાતાશ્રીઓ,નારાયણ સમત્વ નેચરોપેથી સેન્ટરના
દાતાશ્રીઓ સહિતના દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.