ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં ગોંડલ કેન્દ્ર ૯૬.૬૦ ટકા સાથે રાજ્યમાં પ્રથમ
રાજકોટ જિલ્લામાં ૬૭૯૩ છાત્રો ઉત્તીર્ણઃ એ-૧ ગ્રેડમાં ૮૬ છાત્રો

રાજકોટ જિલ્લામાં ૬૭૯૩ છાત્રો ઉત્તીર્ણઃ એ-૧ ગ્રેડમાં ૮૬ છાત્રો
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાજકોટ તા. ૦૫ મે – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લામાંથી ૬૭૯૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ જાહેર થયા છે.
ગોંડલ કેન્દ્ર સૌથી વધુ ૯૬.૬૦ ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ રહ્યું છે. ઉપરાંત ધોરાજી કેન્દ્રનું ૯૬.૦૩ ટકા, જેતપુર કેન્દ્રનું ૮૭.૮૭.૨૫ ટકા, રાજકોટ શહેર પૂર્વનું ૮૭.૦૬ ટકા, રાજકોટ સદર પશ્ચિમનું ૯૨.૪૬ ટકા, જ્યારે જસદણ કેન્દ્રનું ૮૪.૯૭ ટકા પરિણામ આવ્યું છે.
ગ્રેડ મુજબ જોઈએ તો, પરિણામમાં રાજકોટ જિલ્લાનો ગ્રેડ ૯૨.૫૯ ટકા રહ્યો છે. જિલ્લામાં ૭૩૪૬ ઉમેદવારો પરીક્ષા માટે નોંધાયા હતા. જેમાંથી ૭૩૩૭ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરિણામમાં ૮૬ છાત્રોએ એ-૧ ગ્રેડ, ૯૬૯ છાત્રોએ એ-૨ ગ્રેડ મેળવ્યો છે. ૧૭૫૧ છાત્રોએ બી-૧ ગ્રેડ, તો ૧૬૮૦ છાત્રોએ બી-૨ ગ્રેડ મેળવ્યો છે. ૧૩૨૦ છાત્રોએ સી-૧ ગ્રેડ અને ૮૨૩ છાત્રોએ સી-૨ ગ્રેડ જ્યારે ડી-૨ ગ્રેડ ૧૬૨ છાત્રોએ મેળવ્યો છે. બે છાત્રોને ઈ-૧ ગ્રેડ આવ્યો છે. ૫૫૩ છાત્રો નીડ ઈમ્ર્પૂવમેન્ટ શ્રેણીમાં આવ્યા છે, તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.