ધોરણ ૧૨નું પરિણામ જાહેર, રાજકોટ જિલ્લાના ૨૦,૫૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્રનું પરિણામ ૮૫%થી ઉપર: સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું ૧૦૦% સાથે જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૬૬%

રાજકોટ જિલ્લાના દરેક કેન્દ્રનું પરિણામ ૮૫%થી ઉપર: સૌથી વધુ વાંગધ્રા કેન્દ્રનું ૧૦૦% સાથે જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૬૬%
રાજકોટ તા. ૦૫ મે – ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષા માર્ચ-૨૦૨૫નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ ૧૨માં સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી તેમજ સંસ્કૃત મધ્યમા પ્રવાહના રાજકોટ જિલ્લાના કુલ ૨૦,૫૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા તેમજ જિલ્લાનું સામાન્ય પ્રવાહ પરિણામ ૯૩.૬૬ પ્રતિશત આવ્યું છે.
રાજકોટ જિલ્લાના ધોરણ ૧૨ ના કુલ ૨૨૦૨૬ વિદ્યાર્થીઓમાંથી ૨૧,૯૬૬ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમાંથી ૮૪૧ વિદ્યાર્થીઓ A1, ૩૬૪૪ વિદ્યાર્થીઓ A2, ૫૧૦૦ વિદ્યાર્થીઓ B1, ૫૧૦૭ વિદ્યાર્થીઓ B2, ૪૦૪૦ વિદ્યાર્થીઓ C1,૧૭૧૫ વિદ્યાર્થીઓ C2, ૧૨૬ વિદ્યાર્થીઓ D ગ્રેડ સાથે પાસીંગ માર્ક સહિતના એમ મળી ૨૦,૫૭૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
જિલ્લાના પરીક્ષા કેન્દ્ર પ્રમાણે જોઈએ તો, ધોરાજી કેન્દ્ર પર ૯૪૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૯૧૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં કેન્દ્રનું પરિણામ ૯૬.૨૦% આવ્યું છે. તો ગોંડલમાં ૨૧૩૧ વિદ્યાર્થીઓમાંથી ૨૦૦૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં ૯૪.૦૯%, જેતપુરમાં ૧૦૭૪ વિદ્યાર્થીઓમાંથી ૯૯૬ પાસ થવાથી ૯૨.૭૪ %, રાજકોટ પૂર્વમાંથી ૨૨૪૦ વિદ્યાર્થીઓમાંથી ૨૧૦૨ વિદ્યાર્થીઓ પાસ થવાથી ૯૩.૮૪%, રાજકોટ પશ્ચિમમાંથી ૪૧૦૯ વિદ્યાર્થીઓમાંથી ૩૮૫૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં ૯૩.૮૯%, જસદણ કેન્દ્રમાં ૯૨૩ વિદ્યાર્થીઓમાંના ૮૭૧ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાથી ૯૪.૩૭%, જામકંડોરણા કેન્દ્રમાંથી ૩૪૩ વિદ્યાર્થીઓમાંથી ૩૨૮ વિદ્યાર્થીએ પાસ થતાં ૯૫.૬૩% પરિણામ મેળવ્યું હતું.
રાજકોટ દક્ષિણમાંથી ૨૬૩૭ વિદ્યાર્થીઓમાંથી ૨૫૦૫ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં ૯૪.૯૯%, ત્રંબા કેન્દ્ર પરથી ૩૩૨ વિદ્યાર્થીમાંથી ૩૦૨ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૦.૯૬% ,ઉપલેટા કેન્દ્ર પરથી ૮૧૪ વિદ્યાર્થીઓમાંથી ૭૪૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૧.૬૫%, પડધરી કેન્દ્ર પરથી ૪૬૮ વિદ્યાર્થીઓમાંથી ૪૧૦ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવાથી ૮૭.૬૧%, રાજકોટ સેન્ટ્રલ કેન્દ્ર પરથી ૨૮૬૧ વિદ્યાર્થીઓમાંથી ૨૫૮૭ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં ૯૦.૪૨%, રાજકોટ ઉત્તર કેન્દ્ર પરથી ૧૦૬૫ વિદ્યાર્થીઓમાંથી ૧૦૦૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૪.૬૫%, ભાયાવદર કેન્દ્રના ૧૪૫ વિદ્યાર્થીઓમાંથી ૧૨૬ વિદ્યાર્થીઓ પાસ થતાં ૮૬.૯૦%, વિંછીયા કેન્દ્રના ૫૨૬ વિદ્યાર્થીઓમાંથી ૫૦૮ વિદ્યાર્થીઓ પાસ થતાં ૯૬.૫૮ %, રૂપાવટી કેન્દ્રના ૪૧૨ વિદ્યાર્થીઓમાંથી ૪૧૦ ઉત્તીર્ણ થતાં ૯૯.૫૧%, વાંગધ્રા કેન્દ્રના ૧૮૨ માંથી ૧૮૨ વિદ્યાર્થીઓ સૌથી વધુ ૧૦૦% અને આટકોટ કેન્દ્રના ૪૭૧ વિદ્યાર્થીઓમાંથી ૪૫૯ ઉત્તીર્ણ થતાં ૯૭.૪૫ પ્રતિશત સાથે જિલ્લાનાં દરેક કેન્દ્રનું પરિણામ ૮૫%થી ઉપર રહ્યું છે. જિલ્લાનું કુલ પરિણામ ૯૩.૬૬% જોવા મળ્યું છે તેમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જણાવવામાં આવ્યું છે.