મુખ્ય સમાચારરાજ્ય

અમદાવાદ જિલ્લામાં મે માસનો તાલુકા અને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

તા. 21/05/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 22/05/25ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

 

તા. 21/05/25ના રોજ તાલુકા કક્ષાનો તથા તા. 22/05/25ના રોજ જિલ્લા કક્ષાનો

સ્વાગત કાર્યક્રમ યોજાશે

***

જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમ માટે અરજદારો પોતાના પ્રશ્નો તા. 09/05/25

સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ

****

રાજ્ય સરકાર દ્વારા લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે રાજ્યના
તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ દર મહિને સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.
આ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ મે મહિનાનો તાલુકા અને જિલ્લા કક્ષાનો
સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. આગામી તા. 21/05/25ના રોજ તાલુકા કક્ષાનો
તથા તા. 22/05/25ના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે.
આ સ્વાગત કાર્યક્રમ થકી અરજદારોના પ્રશ્નોનું ત્વરિત હકારાત્મક રીતે નિવારણ
કરવામાં આવશે.
અધિક નિવાસી નાયબ કલેકટરશ્રી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ
જિલ્લા કક્ષાના ;સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ભાગ લેવા માંગતા અરજદારો પોતાના
પ્રશ્નો તા. 09/05/25 સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!