મુખ્ય સમાચારરાજ્ય
“પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ” યોજના અન્વયે જિલ્લા અનુસરણ સમિતિની બેઠક યોજાશે
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ

રાજકોટ તા. ૦૬ મે – પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદગી પામેલ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામ અને ઉપલેટા તાલુકાના ચિખલીયા ગામની ગ્રામ્ય કક્ષાની સમિતિ(Village PMGY Convergence Committee) દ્વારા કામો નક્કી કરવામાં આવ્યા છે. આ યોજનાની યોગ્ય અમલવારી, જરૂરી સલાહ સુચનો માટે જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૭/૦૫/૨૦૨૫ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. જેમાં સંબધિત વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા રાજકોટ અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.