મુખ્ય સમાચારરાજ્ય

અખંડ ભારત ના શિલ્પી સરદાર સાહેબ તથા બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ની જિલ્લા પંચાયત સ્થિત પ્રતિમાઓ ને આરક્ષિત કરાશે : પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી*

નવા જિલ્લા પંચાયત ભવન ના બાંઘકામ દરમ્યાન આ રાષ્ટ્ર પુરુષો ની પ્રતિમાઓ ને કોઈ નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન* :*અનંદુ સુરેશ ગોવિંદ

નવા જિલ્લા પંચાયત ભવન ના બાંઘકામ દરમ્યાન આ રાષ્ટ્ર પુરુષો ની પ્રતિમાઓ ને કોઈ નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન* :*અનંદુ સુરેશ ગોવિંદ*
……………..
*નવા જિલ્લા પંચાયત ભવન નું નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ:પ્રવિણાબેન રંગાણી*
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને ડીડીઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદ એ એક સયુંકત અખબારી યાદીમાં જણાવ્યુ કે હાલ માં રાજકોટ જિલ્લા પંચાયત ભવનના નિર્માણ નું કાર્ય અવિરત પણે ચાલી રહ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયત ખાતે અખંડ ભારત ના શિલ્પી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને બંધારણ ના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમાઓ જિલ્લા પંચાયત ના પ્રાંગણ માં આવેલી છે. આ પ્રતિમાઓ ને હાલ ચાલી રહેલા જિલ્લા પંચાયત ભવન ના નવનિર્માણ ના કાર્ય દરમ્યાન કોઈ પણ જાત નું નુકશાન કે હાનિ ન પહોંચે તે હેતુથી આ મહાપુરૂષો ની પ્રતિમાઓ ને લોખંડ ની ફ્રેમ તથા જાળી દ્વારા આરક્ષિત કરવામાં આવશે જે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદ, ઉપપ્રમુખશ્રી રાજુભાઈ ડાંગર, કારોબારી ચેરમેનશ્રી પી. જી. કયાડા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેનશ્રી ભાનુબેન ભીખાભાઇ બાબરીયા,તમામ સમિતિ ચેરમેનશ્રીઓ,શાસક પક્ષ નેતાશ્રી અને દંડકશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ  સંયુક્ત રીતે એક અખબાર યાદીમાં જણાવવામાં આવે છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!