બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મેળવવા તા.૩૧ મે સુધીમાં ‘આઈ ખેડૂત પોર્ટલ ૨.૦’ પર ઓનલાઇન અરજી કરી શકાશે
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ‘આઈ ખેડૂત પોર્ટલ ૨.૦’ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ મેળવવા ‘આઈ ખેડૂત પોર્ટલ ૨.૦’ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી વિવિધ ઘટકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
વર્ષ ૨૦૨૫-૨૬માં સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ (૧) કૃષિ યાંત્રિકરણને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ (૨) વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો (૩) વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (૪) ઔષધીય પાકો (૫) અન્ય સુગંધિત પાકો જેવા કે, પામારોઝા, લેમન ગ્રાસ, તુલસી, ખસ, જાવા, સીટ્રોનેલા અને સ્વીટ બેસીલ (૬) ડુંગળી અને લસણ (OPEN PÒLLINATED) (૭) હાઈબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર (૮) સ્ટ્રોબેરી, (૯) કંદ ફૂલો (Bulbous and Rhizomatic Flowers) (૧૦) દાંડી ફૂલો (Cut Flowers), (૧૧) છુટા ફુલો (Loose Flowers), (૧૨) પોલીહાઉસ/નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા અતિમૂલ્ય ધરાવતા ફળ અને શાકભાજીના પ્લાન્ટિંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, (૧૩) પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા ગુલાબ, સેવંતી અને લીલીયમના પ્લાન્ટિંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય (૧૪) પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટિંગ મટીરીયલ અને ખેતી ખર્ચ માટે સહાય, (૧૫) પોલીહાઉસમાં ઉગાડવામાં આવતા એન્યુરિયમ અને નેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કિડનાં પ્લાન્ટિંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે સહાય, (૧૬) પ્લાન્ટેશન પાકો (કાજુ), (૧૭) મસાલા પાકો (RHIZOMATIC AND BULBOUS SPICES), (૧૮) હની એટ્રેકટર (૪ ફ્રેમ), ફૂડ ગ્રેઇન કન્ટેઇનર (૩૦ કિ.ગ્રા.), નેટ મધમાખી ઉછેરના સાધનો માટે સહાય (૧૯) મધમાખી હાઈવ માટે સહાય (૨૦) મધમાખી પેટી/બોક્ષ સમૂહ સાથે કોલોની (૨૧) અનાનસ (ટીસ્યુ) આમ, બાગાયત ખાતામાં વિવિધ ૨૧ જેટલા ઘટકોમાં અરજી કરવા પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
બાગાયતી યોજનાઓનો લાભ લેવા ઈચ્છુક બાગાયતદાર ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ જે તે ઘટક માટે અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. અરજી મંજુર થયા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહે છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૦૮, બ્લોક- સી, બહુમાળી ભવન, ખેરાળી રોડ, (ફોન નં:- ૦૨૭૫૨-૨૮૨૭૬૩), સુરેન્દ્રનગર ખાતે રૂબરૂ અથવા ટેલીફોનીક સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકશ્રી, સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.