મુખ્ય સમાચારરાજ્ય

શ્રી મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્મજયંતિ નિમિતે તેઓની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ કરતા પદાધિકારીઓ તથા હોદેદારો.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૫ શુક્રવારના રોજ શ્રી મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્મજયંતિ નિમિતે સોરઠીયા વાડી ચોક ખાતે આવેલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૯/૦૫/૨૦૨૫ શુક્રવારના રોજ શ્રી મહારાણા પ્રતાપની ૪૮૫મી જન્મજયંતિ નિમિતે સોરઠીયા વાડી ચોક ખાતે આવેલ તેઓની પ્રતિમાને રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને હોદેદારો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી, મસ્તક નમન અને પ્રણામ કરવામાં આવેલ.  

 

મહારાણા પ્રતાપ ઉદેપુરમેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા સંઘર્ષ કર્યો હતો.

 

આ પ્રતિમા પુષ્પાંજલી કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર પ્રમુખ ડૉ. માધવ દવેધારાસભ્ય-૬૯ ડૉ. દર્શિતા શાહ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન સમિતિ ચેરમેન નિલેશભાઈ જલુ, માર્કેટ સમિતિ ચેરમેન રવજીભાઈ મકવાણા, કોર્પોરેટરો વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, જીતુભાઈ કાટોળીયા, કંચનબેન સિધ્ધપુરા, કિર્તીબા રાણા, દક્ષાબેન વાઘેલા, ભાજપ અગ્રણી નટુભાઇ વાઘેલા, મેનેજર કે.બી.ઉનાવાવોર્ડ ઓફિસર, તથા સાંસ્કૃતિક વિકાસ વિભાગગાર્ડન શાખા, બાંધકામ શાખા અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ હતા.   

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!