*લખનૌમાં ડૉ. પ્રિયંકા મૌર્યના નેતૃત્વમાં “જનાક્રોશ રેલી”: વલ્ગારિટી પીરસતા OTT અને સોશિયલ મીડિયા પર “ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક”ની પ્રચંડ માંગ*
Ullu પર પ્રસારિત એઝા ખાનનો શો "હાઉસ અરેસ્ટ" અને ઇન્ડિયા લેટન્ટ શોમાં રણવીર અહલાબાદી જેવા કાર્યક્રમો સામે દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે.

*લખનૌ:*
Ullu પર પ્રસારિત એઝા ખાનનો શો “હાઉસ અરેસ્ટ” અને ઇન્ડિયા લેટન્ટ શોમાં રણવીર અહલાબાદી જેવા કાર્યક્રમો સામે દેશભરમાં આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. જ્યારે ભારત પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી રહ્યું છે, તેવા સમયે દેશના ગદ્દારો જે હવસની આગ લગાવી બહેન-દીકરીઓની ઇજ્જત લૂંટવાનું શીખવી રહ્યા છે, તેમના પર OTT અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક” કરવાની પ્રચંડ માંગ ઉઠી છે.
ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગના સદસ્યા ડૉ. પ્રિયંકા મૌર્યના નેતૃત્વમાં લખનૌ ખાતે એક વિશાળ “જનાક્રોશ રેલી”નું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ભાગ લીધો, જેમણે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર પીરસવામાં આવી રહેલી અશ્લીલ અને વિકૃત સામગ્રી સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો.
રેલીને સંબોધિત કરતાં ડૉ. પ્રિયંકા મૌર્યએ જણાવ્યું કે, “આજે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મનો મોટો હિસ્સો બેલગામ બની ગયો છે અને આપણા ઘરોમાં અશ્લીલતા તથા ગંદી સામગ્રી પીરસી રહ્યો છે. યુવા પેઢી રાત-રાતભર આ ગંદકીમાં ડૂબેલી રહે છે, જેનાથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ગંભીર રીતે પ્રભાવિત થઈ રહ્યું છે. આ આપણી દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની વિરુદ્ધ છે અને આપણા સામાજિક તાણાવાણાને નષ્ટ કરી રહ્યું છે.”
ડૉ. મૌર્યએ કહ્યું કે, “હવે આ વિકૃતિ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.” તેમણે સરકારને નીચે મુજબની માંગણીઓ તાત્કાલિક ધોરણે લાગુ કરવા આહ્વાન કર્યું:
* તમામ ડિજિટલ પ્લેટફોર્મ પર એક સમાન કાર્યક્રમ સંહિતા (Unified Programme Code) લાગુ કરવામાં આવે, જેથી નૈતિકતા અને શાલીનતાના સમાન માપદંડોનું પાલન સુનિશ્ચિત થઈ શકે અને ઉલ્લંઘન કરનારાઓ પર કઠોર કાર્યવાહી કરવામાં આવે.
* મહિલાઓનું અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, 1986ને ડિજિટલ યુગને અનુરૂપ અને વધુ સશક્ત બનાવવામાં આવે, જેનાથી ડિજિટલ પ્લેટફોર્મ પર અશ્લીલ અને વિકૃત સામગ્રીને પ્રતિબંધિત કરી શકાય અને દોષિતોને કડક સજા મળે.
* ડિજિટલ કન્ટેન્ટની દેખરેખ, નિયમન અને નિયંત્રણ માટે અર્ધ-ન્યાયિક અધિકારો સાથે “ડિજિટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા”ની રચના કરવામાં આવે, જે આપત્તિજનક કન્ટેન્ટને તાત્કાલિક હટાવવાનો આદેશ આપી શકે અને પાલન ન કરનારાઓ પર કઠોર દંડ લગાવી શકે.
* “ઓપરેશન ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક” શરૂ કરવામાં આવે, જે અંતર્ગત ઓનલાઇન પ્લેટફોર્મ પરથી હાનિકારક સામગ્રીને સક્રિય રીતે દૂર કરવામાં આવે.
* મોનેટાઇઝેશન પહેલાં કન્ટેન્ટ સર્ટિફિકેશન ફરજિયાત કરવામાં આવે અને હાનિકારક કન્ટેન્ટને દૂર કરવામાં નિષ્ફળ રહેનારા પ્લેટફોર્મ પર ભારે દંડ લગાવવામાં આવે.
ડૉ. મૌર્યએ ભારપૂર્વક જણાવ્યું કે, “આ રેલી માત્ર એક પ્રદર્શન નથી, પરંતુ એક જનઆંદોલન છે જે ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય અને એક સ્વચ્છ સાયબર ભારતનું નિર્માણ નહીં થાય.” તેમણે યુવાનો અને વાલીઓને આ લડાઈમાં એકજૂટ થવા અને સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવાની અપીલ કરી.
રેલીમાં ઉપસ્થિત નાગરિકોએ પણ સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર અનિયંત્રિત કન્ટેન્ટ સામે કડક કાર્યવાહીની માંગ કરી અને “સ્વચ્છ સાયબર ભારત”ના નિર્માણ માટે દરેક શક્ય સહયોગ આપવાનો સંકલ્પ લીધો.