સમાજ ઉત્કર્ષ ના પોતાના સિદ્ધાંતો અને જવાબદારી ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોય.
માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 180 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા,બેસન,શીંગતેલ તથા ડુંગળી સહિત નીખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોય છે.
*દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ તથા 1 લીટર શીંગતેલના વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે, દાતા શ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે જેથી આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ*
Author: ભાગવત ભૂમિ
Hi