રૂ.૧૫૫ લાખના ખર્ચે બનનાર રાણપુર તથા જીયાણા એપ્રોચ રોડ ના કામો નું ખાતમુર્હુત કરાવતા જીતુભાઈ સોમાણી, પ્રવિણાબેન રંગાણી

પોતાના વતન અને મતવિસ્તાર ના રાણપુર ગામે સ્વ ખર્ચે ઘન કચરાનાં નિકાલ માટે ૨ ટ્રેક્ટર ટ્રોલી સાથે ગ્રામ પંચાયત ને અર્પણ કરતા પ્રવિણાબેન સંજયભાઇ રંગાણી
ભાજપની રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ આજે આપણે  પ્રાપ્ત કરી રહ્યા છીએ : જીતુભાઈ સોમાણી
*આદરણીય મોદી સાહેબનાં વિકસિત ભારતના સંકલ્પને સાકર કરવા રાજ્ય સરકાર સાથે રાજકોટ જિલ્લા પંચાયત અવિરત કાર્યરત: પ્રવીણાબેન સંજયભાઈ રંગાણી*
       રાજકોટ જીલ્લા પંચાયત ના પ્રમુખ પ્રવિણાબેને એક અખબારી યાદી માં જણાવાયું છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે  શાસન ને પ્રજાલક્ષી અને પ્રજાસ્પર્શી બનાવ્યું છે. લોકભાગીદારી ના સાચા આયામ દ્વારા શાસનને પારદર્શી બનાવવાની સાથોસાથ વિકાસ કાર્યો માં પ્રજા ને જોડી વિકાસ માં ભાગીદાર બનાવી છે. ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વ માં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ના માર્ગદર્શન માં રાજ્યનો વિકાસ રથ અવિરત આગળ વધી રહ્યો છે. સતત પરિશ્રમ અને પુરુષાર્થ દ્વારા ટકોરાબંધ વિકાસ આપને પ્રત્યેક ક્ષેત્ર માં આજે આપને પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે રાજકોટ જીલ્લા પંચાયત પણ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર ના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે ત્યારે રાજકોટ તાલુકાના રાણપુર તથા જીયાણા ગામે  ગ્રામ્ય વિસ્તારનાં લોકો ની અવરજવર , વાહન વ્યવહાર તથા સુખાકારી માં વધારો કરતા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૧૫૫ લાખના ખર્ચે રાણપુર એપ્રોચ રોડ તથા જીયાણા એપ્રોચ રોડ નું આજ રોજ વિસ્તારનાં ધારાસભ્યશ્રી જીતુભાઇ સોમાણી,મહાનુભાવો અને ગ્રામ્ય જનોની ઉપિસ્થિતી માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા તેમના પતિ સંજયભાઇ રંગાણી દ્વારા આદરણીય મોદી સાહેબનાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ ના સુત્ર ને સાકાર કરવા ના ભાગરૂપે પોતાના સ્વ ખર્ચે પોતાના વતન તથા મતવિસ્તાર રાણપુર ગામે (૨ ) ટ્રેક્ટર ટ્રોલી સાથે સ્વ.ભીમજીભાઈ રંગાણી તથા ગુરૂદેવ શ્રી લક્કડદાસ બાપુ ના
સ્મરણાર્થે માન.ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીની ઉપસ્થિતી માં રાણપુર ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવ્યા હતા. ૨ ટ્રેક્ટર ટ્રોલી સાથે અર્પણ થવાથી રાણપુર ગામ સ્વચ્છ અને નિર્મળ બનશે અને ગ્રામ્ય લોકો ની સુખાકારી માં વધારો થસે .આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનભાઈ કથીરિયા,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જે.કે.પીપળીયા,અગ્રણીઓ શ્રી પ્રકાશભાઈ કાકડિયા,શ્રી કાનજીભાઈ મેઘાણી,રાણપુર સરપંચશ્રી પ્રવીણભાઈ કાકડિયા,જીયાણા સરપંચ શ્રી જયસુખભાઈ મોતાણી,રાણપુર ગામના આગેવાનો શ્રી ધીરુભાઈ વાડોદરિયા, શ્રી પરસોત્તમભાઈ રંગાણી, શ્રી વિપુલભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ રંગાણી, શ્રી ચોથાભાઈ બાબૂતર, શ્રી સુરેશભાઈ વેકરીયા, શ્રી ગોવિંદભાઈ અજાણી, શ્રી રવજીભાઈ ધામેચા, શ્રી ઘેલાભાઈ બાબૂતર, શ્રી બાબુભાઇ ધામેચા, શ્રી લાલજીભાઈ ખોયાણી, શ્રી કડવાભાઈ ખોયાણી, શ્રી દિનેશભાઇ પરસાણા,જીયાણા ગામનાં આગેવાનો શ્રી લાલજીભાઈ સરવૈયા,શ્રી શૈલેષભાઇ ગાંગાણી, શ્રી કેતનભાઈ મેવાસિયા,ઉપસરપંચશ્રી બાબુભાઇ ઢોલરીયા તથા મહાનુભાવો, અગ્રણીઓ, ગ્રામજનો ની ઉપિસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Read More