જયંતીભાઇ બાબરીયા ના પુત્રની જાન લઇને આવ્યાને કારમાંથી પુત્રવધુના દાગીના ભરેલા થેલાની ઉઠાંતરી
રાજકોટ તા.૧૯: ગોંડલના શ્રીનાથગઢ ગામે કારનો લકમ તોડી ૪.૮૪ લાખના સોના-ચાંદીના દાગીના ભરેલા થેલો કોઇ ગઠીયો ચોરી કરી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ શ્રીનાથગઢ ગામે રહેતા જયંતીભાઇ પાલાભાઇ બાબરીયા પોતાના પુત્રના લગ્નની જાન લઇને સુરેન્દ્રનગર પોતાની ઇકો કાર નં. જી.જે.૦૩. એલ.એમ.૫૮૨૫ માં શ્રીનાથગઢ ગામે આવ્યા હતા. અને કાર વડ પાસે પાર્ક કરી હતી. ત્યારે કોઇ અજાણ્યા ઇસમે કારનો લોક તોડી સોના-ચાંદીના દાગીના રૂ.૪,૮૪,૦૦૦/- ભરેલો થેલો ચોરી કરી ગયા હતા. આ સોના-ચાંદીના દાગીના ફરીયાદીના પુત્રવધુના હતા.
આ અંગે જયંતીભાઇ બાબરીયાએ અજાણ્યા શખ્સ સામે ફરીયાદ કરતા સુલ્તાનપુર પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.