અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા મોરબી જીલ્લા ની વાર્ષિક કાર્યકર્તા શિબિર શરણેશ્વર મહાદેવ મંદિર – હળવદ ખાતે તા.1/9/24 ને રવિવારના રોજ યોજાઇ ગઈ

જેમા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા, પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપક સિંહ ઝાલા,કા. પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ પરમાર,કા. પ્રદેશ અધ્યક્ષ શ્રી રુદ્રદતસિંહ વાઘેલા, યુવા પાંખ ના પ્રમુખશ્રી દિગ્વિજય સિંહ ઝાલા, એજયુકેશન કમિટી ના વિસુભા ઝાલા, પ્રદેશ મહામંત્રી શ્રી નીરુભા ઝાલા,મોરબી જીલ્લા યુવા સંઘ ના પ્રમુખ જયવંતસિંહ જાડેજા, કા. પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ જાડેજા,યુવા પાંખ મોરબી ના જીલ્લા પ્રમુખ શ્રી ઓમદેવસિંહ જાડેજા, હળવદ તાલુકા યુવા સંઘ ના પ્રમુખ શ્રી વિજયસિંહ ઝાલા, હળવદ યુવા પાંખ ના પ્રમુખશ્રી યશરાજસિંહ આર. રાણા (વણા) ,માળિયા પ્રમુખ વનરાજસિંહ જાડેજા, વાંકાનેર પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, ટંકારા યુવા સંઘ ના પ્રભારી રૂપસિંહ ઝાલા, મોરબી તાલુકા યુવા સંઘ ના પ્રમુખ મહાવીરસિંહ ઝાલા,

હળવદ ના સમાજ અગ્રણી શ્રી ધીરૂભા ઝાલા, સુખુભા ઝાલા, ડો. રાણા સાહેબ, નરેન્દ્રસિંહ રાણા,વાય.કે. ઝાલા, જયદિપસિંહ ઝાલા, હરદેવસિંહ પરમાર દેવળીયા, મહિપાલસિંહ જાડેજા સીરોઈ,મોરબી સમાજ અગ્રણી શ્રી બાલુભા જાડેજા, શ્રી મહેન્દ્રસિંહ ઝાલા રંગપર, શ્રી જયરાજસિંહ જાડેજા, મોરબી જીલ્લા રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ રાજકોટ ના પ્રમુખ કિશોરસિંહ જેઠવા, યુવા પાંખ રાજકોટના પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા,સુ. નગર યુવા સંઘ ના જીલ્લા પ્રમુખ શ્રી મહાવીરસિંહ રાણા,સુ.નગર, મહીલા સંઘ મોરબી ના પ્રમુખ બા શ્રી જયશ્રીબા ઝાલા, સુ. નગર મહીલા સંઘના પ્રમુખ બાશ્રી હર્ષાબા જાડેજા, મહીલા સંઘ રાજકોટના પ્રમુખ બા શ્રી હિનાબા ગોહિલ, હળવદ મહીલા સંઘ ના પ્રમુખ બા શ્રી પૂર્ણાબા ઝાલા, પદમાબા ઝાલા માથક, તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમની શરુઆત દિપ પ્રગટાવીને કરવામાં આવી દિકરીબાઓ દ્વાર સ્વાગત ગીત રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ જિલ્લા પ્રમુખ શ્રી જયવંતસિંહ જાડેજા એ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. પ્રદેશમંત્રી શ્રી મહાવીરસિંહ ઝાલા એ સંસ્થાના કાર્યો વિશે માહિતી આપી. જિલ્લા મહામંત્રી શ્રી રાજવીર સિંહ સરવૈયા એ ગત વર્ષની અને આગામી વર્ષ ના કાર્યો વિશે વાત કરી. યુવા પાંખ ના જિલ્લા મહામંત્રી શ્રી ધર્મદિપસિંહ જાડેજાએ યુવા પાંખ ના કર્યો અંગે વિગત વાર વાત કરી. મોરબી જીલ્લા મહિલા સંઘ ના પ્રમુખ બા શ્રી જયશ્રીબા ઝાલા એ મહીલા સંઘના સમાજ ઉપયોગી કાર્ય વિશે વાત કરી. યુવાપાંખ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ઝાલા એ યુવા પાંખ નુ રાજ્ય વ્યાપી માળખું બનાવી યુવાનો ને સંસ્થા સાથે જોડવા અંગે હાકલ કરી અને ભવિષ્ય માં મોટો કાર્યક્રમ કરવાની વાત કરી.

કાર્યક્રમમાં મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા મહરાણીશ્રી વિજય કુંવરબા સાહેબ રાજપૂત સમાજ ભવન નુ ભવ્ય નિર્માણ કાર્ય થવા જઇ રહ્યું છે જેમા બે કરોડ અગિયાર લાખ રૂપિયા નું ડોનેશન જાહેર કરનાર સ્વ.ઉદયસિંહજી મનુભા જાડેજા પરીવાર – (જયદિપ એન્ડ કંપની) ના શ્રી દિલુભાભાઈ જાડેજા અને એક કરોડ એક્યાશી લાખ રૂપિયા નુ દાન જાહેર કરનાર એવા જ બીજા ડોનર શ્રી રાજકુમાર ડી.એસ. ઝાલા સાહેબ (દેવસોલ્ટ પ્રા. લિમિટેડ કંપની) ના પ્રતિનિધિ જયરાજસિંહ નુ બહુમાન કરવામાં આવ્યું. ત્યારબાદ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા એ વર્તમાન સમય ની રાજપૂત સમાજ ની સ્થિતિ અને જરૂરિયાત ઉપર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું અને વારસા મા મળેલ ખેતીની જમીનો નહિ વેચવા સમાજને અપિલ કરી.

મહીલા સંઘના પ્રદેશ અધ્યક્ષ બા શ્રી દશરથબા પરમાર દ્વારા મહીલા શિક્ષણ અને સમાજનાં સંસ્કારો ને જાળવી રાખવા અપીલ કરવામાં આવી અને આજના કાર્યક્ર્મ મા મહિલાઓ ની વિશેષ હાજરી બદલ ખુશી વ્યક્ત કરવામાં આવી.
યુવા સંઘ હળવદ ના પૂર્વ પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ રાણા (વણા) નુ રાજ્ય કક્ષા ના એવોર્ડ મળવા બદલ વિશિષ્ઠ સન્માન કરવામાં આવ્યું.

હળવદના સમાજ અગ્રણી ડૉ. રાણા સાહેબ દ્વાર સમાજની શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવા ઉપયોગી માર્ગદર્શન આપ્યું.

યુવાસંઘ ના એજ્યુકેશન કમિટી ના કન્વીનર વીસુભા ઝાલા એ સંસ્થા દ્વાર સંચાલિત છાત્રાલયો ના નિર્માણ અને તેની હાલની પરિસ્થિતિ વિશે માહિતી આપી.

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપક સિંહજી ઝાલા એ તમામ કાર્યકર્તાઓ ને બિરદાવ્યા અને યુવા સંઘની કાર્યપ્રણાલી વિશે ઉંડાણ પૂર્વક સમજ આપી.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન રાજવિરસિંહ સરવૈયા એ કર્યું.

જયદિપસિંહ ઝાલા (કીડી) એ આભારવિધિ કરી.
કાર્યક્રમના અંતે સૌ એ સાથે ભોજન લીધુ.
શિબિર ને સફળ બનાવવા હળવદ તાલુકા ની સમગ્ર ટીમે ખૂબ જહેમત ઊઠાવી હતી.
બધાનો યુવા સંઘ પ્રદેશ વતી ખૂબ ખૂબ આભાર.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More