યાત્રિયોની સુવિધા માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર વધારાના રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી 

યાત્રિયોની સુવિધા માટે વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર વધારાના રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી

યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ 5 જૂન, 2024 (બુધવાર)થી ભાવનગર ડિવિઝનના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પર વધારાની રેલ ટિકિટ રિઝર્વેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદે જણાવ્યું હતું કે આ આરક્ષણ કેન્દ્ર દરરોજ સવારે 8:00 થી બપોરના 14:00 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. મુસાફરોએ આ રિઝર્વેશન કાઉન્ટરનો મહત્તમ લાભ લેવા વિનંતી છે. આ વધારાના કાઉન્ટર ખુલ્યા બાદ હવે વસ્ત્રાપુરના લોકો માટે લાંબા અંતરની ટ્રેનોની રેલવે ટિકિટ બુક કરાવવાનું સરળ બનશે.

 

 

Leave a Comment

Read More