રાજકોટ ગેમઝોન કાંડ માં મૃત્યુ પામેલ યુવાન પુત્ર ની સ્મૃતિ માં ચુડાસમા પરિવાર તરફથી સંત ભોજન તથા આંગણવાડી ના 400 બાળકોને ભોજન પીરસાયું

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ માં ગોંડલ ચુડાસમા પરિવારના આશાસ્પદ યુવાન પુત્ર શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા નું આકસ્મિક અવસાન થતાં શક્તિસિંહ ચુડાસમા પરિવાર તરફથી અક્ષર નિવાસી શત્રુઘ્નસિંહ ચુડાસમા ના દિવ્ય આત્મા ની શાંતિ માટે ગોંડલ ના સુપ્રસિદ્ધ શ્રી લોહંગજી અન્નક્ષેત્ર વડવાળી જગ્યા માં સંત ભોજન હરિહર ભોજન પીરસવા માં આવેલ.તેમજ ગોંડલ શહેર ની આંગણવાડી માં 3 થી 6 વર્ષ ના 400 નાના ભૂલકાઓને શુદ્ધ ઘી માં બનાવેલ પૌષ્ટિક સુખડી તેમજ ફરસાણ નું વિતરણ સમાજસેવી હિતેશભાઈ દવે અને પિન્ટુબેન દવે સુપ.

આઇસીડીએસ ના સહકારથી ગોંડલ ની 14 જેટલી આંગણવાડી ના બાળકો માં રહેલ ઈશ્વર ને રાજી કરવાના ઉદેશ્ય થી વિતરણ કરવામાં આવ્યું હતું…..

શક્તિસિંહ ચુડાસમા પરિવાર તરફથી શુદ્ધ દેશી ઘી માં પૌષ્ટિક 100 કિલો સુખડી ને ફરસાણ ગાંઠિયા 70 કિલો નું અક્ષર નિવાસી શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા ની સ્મૃતિ માં 100 સંતો ને હરિહર ભોજન અને 400 બાળકોને સુખડી ગાંઠિયા નું ભોજન પીરસવામાં આવેલ…

Leave a Comment

Read More