લખતર તાલુકામાં ડેરવાળા મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

સુરેન્‍દ્રનગર:

લખતર મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્ર નંબર ૪૨, ડેરવાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી-લખતર ખાતેથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ મેળવી લેવાના રહેશે. આ અરજી ફોર્મ વિગતવાર ભરી જરૂરી આધારોની ખરી નકલ સાથે આગામી તા. ૩૧-૦૮-૨૦૨૪ સુધીમાં કચેરી સમય પૂરો થતાં પહેલા મામલતદાર કચેરી-લખતર ખાતે જાહેર રજાના દિવસો સિવાય રજૂ કરવાનું રહેશે. ઇન્ટરવ્યૂ અંગે તારીખની જાણ હવે પછી કરવામાં આવશે. ઇન્ટરવ્યૂમાં અરજદારે જરૂરી આધાર પુરાવા જેવા કે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, અભ્યાસ અંગેના સર્ટીઓ અને માર્કશીટ, જાતિનો દાખલો, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે. ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોએ જણાવેલ તારીખ અને સમયે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.

Leave a Comment

Read More