Search
Close this search box.

Follow Us

કોડીનાર સિંધી સમાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરશે

રામ જન્મ ભુમી મંદિર અયોઘ્યા માં ૨૨મી જાનુયારીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઊજવણી નિમતે કોડીનાર સિંધી સમાજ આ દિવસને મહોત્સવની જેમ ઉજવવા નું આયોજન કર્યું છે. જેમાં મંદિર સુશોભન, સત્સંગ, મહા આરતી, સમસ્ત સિંધી સમાજનું સમૂહ ભોજન પ્રસાદ અને સુંદરકાંડ ના પાઠ નું આયોજન કરવામાં આવશે.જેમાં સિંધી સમાજના હોદેદારો, યુવા મંડળો, મહિલા મંડળો તેમજ સર્વે કાર્યકરો આ શુભ અવસરે શ્રમ અને ધનનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે.

સિંધી સમાજ ના પ્રમુખશ્રીઓ ગુરુભાઈ વાધવાણી અને શ્રી દેવીદાસભાઈ બજાજ તેમજ સમાજ સેવી રમેશભાઈ બજાજ, વાસુભાઈ ગોધવાણી, સુંદરભાઈ બજાજ, પ્રવીણભાઈ આહુજા, દિનેશભાઈ આહુજા તેમજ શ્રી જુલેલાલ મંદિરના અધ્યક્ષ લાલુભાઇ રામચંદાની, રામભક્ત લાલુભાઇ લછાણી તેમજ યુવા મંડળના પ્રમુખ અજયભાઈ ધાનાણી તેમજ કપિલભાઈ મનવાણી, સાગર રામચંદાણી સાગર વાધવાણી, વિનોદભાઈ તનવાણી તેમજ સર્વે કાર્યકરો દ્વારા આ સમગ્ર આયોજનને સફળ કરવાની કામગીરી સ્વેછિક રીતે નિભાવી રહિયા છે. .

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More