Search
Close this search box.

Follow Us

ખેડૂતોએ ચોમાસાની ઋતુ પહેલા કપાસના પાકનું વાવેતર કરવા ધ્યાનમાં રાખવાની બાબતો

 

*રાજકોટ તા. ૨૧ મે -* હવામાન વિભાગની આગાહી મુજબ આગામી તા. ૧૯મી જુનથી રાજ્યમાં ચોમાસુ ઋતુ શરૂ થશે. પીયતની સગવડતા હોય તે ખેડૂતો દ્વારા કપાસના પાક આગોતરુ વાવેતર કરવું, અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતા રહે છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં લાયસન્સ ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહી. જેનાથી છેતરપીંડીનો અવકાશ ન રહે.

જિલ્લામાં કપાસ પાકનાં વાવેતર માટે જરૂરી બિટી કપાસના બિયારણોનો અને રાસાયણિક ખાતરોનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂતોએ કપાસની એક જ જાતનું વાવેતર ન કરતા બજારમાં ઉપલબ્ધ વિવિધ જાતોનું વાવેતર કરવાથી સંભવિત જોખમ નિવારી શકાય છે.

આમ, બિયારણ અને ખાતરનું જરૂરીયાત મુજબ જુદી જુદી જાત અને જુદા જુદા ગ્રેડની આગોતરી ખરીદી કરવા વિનંતી છે. બિયારણના કાળા બજાર, અનઅધિકૃત બિયારણનું વેચાણ તથા રાસાયણિક ખાતરોની સાથે નેનો ખાતરો સીવાયના અન્ય ખાતરો ફરજીયાત આપવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવે તો જિલ્લાની ખેતીવાડી ખાતાની ઓફીસનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવે છે. તેમ નાયબ ખેતી નિયામકશ્રી વિસ્તરણ રાજકોટની યાદીમાં જણાવાયું છે.

*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More