અંબર ગાજે કાર્યક્રમ યોજાયો

 

તા ૨૯-૬-૨૪ને શનિવારના રોજ રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર હેઠળની ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનાં આર્થિક સહયોગ અને નવયુગ કેળવણી ટ્રસ્ટ ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે શીશુવિહાર રંગમંચ પર “અંબર ગાજે” કાર્યક્રમ અદભુત સફળતાપૂર્વક યોજાઈ ગયો જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર ભાસ્કર બારોટ, લોકગાયકો અનિલ વંકાણી અને શ્યામભાઈ મકવાણાએ દુહા, છંદ અને લોકગીતોની જમાવટ કરી ઉપસ્થિત શ્રોતાઓને ખુશખુશાલ કરી દીધા હતાં કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મેસવાણિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી વિશાલભાઈ જોશી, માનનીય શ્રી ધીરેનભાઈ વૈષ્ણવ, શ્રી અમૂલભાઈ પરમાર, રાજેશ્રીબેન પરમાર, ગુજરાતી ફિલ્મ અભેનેત્રી ગીતાબેન અગ્રાવત, મનુભાઈ દીક્ષિત, કુશલ દીક્ષિતની પ્રોત્સાહિત ઉપસ્થિતિ રહી હતી. નવયુગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ સ્ટાફે મહાનુભાવો અને કલાકારોનું પુષ્પગૂચ્છથી સન્માન કર્યું હતું

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More