આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

સર ફિરોજ શાહ મેહતા ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં અધ્‍યક્ષ બન્‍યા અને કલકત્તામાં અધિવેશનમાં પ્રમુખ તરીકે નિયુક્‍ત થયા : રાજા મહેન્‍દ્ર પ્રતાપ અદ્વિતીય રાજા હતા માતૃભૂમિને આઝાદ કરવા માટે સ્‍વેચ્‍છાએ તીરયાત્રી બન્‍યા : શ્‍યામજી કળષ્‍ણ વર્માએ ‘ઇન્‍ડિયન હોમ રૂલ સોસાયટી’ અને ‘ઇન્‍ડિયા હાઉસ’ ની સ્‍થાપના કરી. બલીયોલ કૉલેજમાં પ્રોફેસર બન્‍યા

શ્‍યામજી કળષ્‍ણ વર્મા

(૧૮૫૭-૧૯૩૦)

બલીયોલ કૉલેજ (ઓક્ષફર્ડ) માં સહાયક પ્રોફેસર શ્‍યામજીએ ઙ્કટેમ્‍પલ ઇનઙ્ઘ માં પ્રવેશ લીધો. પ્રથમ ભારતીય બેરિસ્‍ટર હતા. જાન્‍યુઆરી ૧૮૮૮ માં ભારત આવી ગયા અને ઘણી કાર્યવાહી કરી સુશોભિત બન્‍યા પરંતુ લાંબા સમય સુધી તક મળી નહિ. જાન્‍યુઆરી ૧૯૦૫ માં ઇંગ્‍લેન્‍ડ પરત પહોંચ્‍યા અને એક માસિક પત્રિકા ‘ઇન્‍ડિયન સોસીયોલોજીસ્‍ટ’ તૈયાર કરી. પુનઃ ૧૯૦૫ માં પ્રથમ વખત ‘ઇન્‍ડિયન હોમ રૂલ સોસાયટી’ અને પછી ‘ઇન્‍ડિયા હાઉસ’ની સ્‍થાપના કરી. ઇંગ્‍લેન્‍ડમાં ક્રાંતિકારીઓને ભરપુર મદદ કરી. પરિણામ સ્‍વરૂપ ઇન્‍ડિયા છોડવા તેમને જાણકારી અપાઈ. પેરિસ પહોંચ્‍યા. પરંતુ યુદ્ધ પ્રારંભ થયું તે કારણે અંગ્રજોનાં દબાણનાં કારણે તેમણે છોડવું પડ્‍યું. અંતમાં, તેઓ જીનિવા પહોંચ્‍યા, જ્‍યાં ૧૯૩૦ માં તેમનું અવસાન થયું. એક નિષ્ઠાવાન રાષ્‍ટ્રવાદી શ્‍યામજી કળષ્‍ણ વારમાંને બહાર રાખી અને ક્રાંતિકારીઓને સહાયતા આપી અને દેશભક્‍તિ આંદોલનનું કેન્‍દ્ર બન્‍યું.

રાજા મહેન્‍દ્ર પ્રતાપ

(૧૮૮૬-૧૯૭૯)

મહેન્‍દ્ર પ્રસાદ અદ્વિતીય રાજા હતા, જે માતળભૂમિને આઝાદ કરવા માટે સ્‍વેચ્‍છાએ તીરયાત્રી બની ગયા. ભારતને વિદેશ શાસનથી મુક્‍ત કરવા તેઓએ વિશ્વ સમુદાયને અંતઃકરણથી પ્રયાસ કર્યા. તેઓએ ઈ.સ. ૧૯૧૪ માં ભારત છોડ્‍યું અને કાબુલમાં સ્‍વતંત્ર ભારતની અંતરિમ સરકારની સ્‍થાપના કરી. ત્‍યારબાદ તેઓ અમેરિકા પહોંચ્‍યા અને તેમણે ‘ગદર પાર્ટી’ માટે કાર્યવાહી શરૂ કરી.

એક આતંકવાદીની અપેક્ષા માટે તેઓ ક્રાંતિકારી હતા અને શાંતિવાદી યાચકતરીકે અહિંસક યોદ્ધા હતા. અમેરિકા, જાપાન, તિબ્‍બત અને ચીનની યાત્રા કરી. વિદેશી નેતાઓ લેનિન તથા કૈસર વિલિયમ સાથે સંપર્કમાં રહ્યા અને પરદેશ રહીને અંતરિમ ભારતીય સરકારની સ્‍થાપના કરી. લાલા હરદયાલ, રાસબિહારી બોસ, સુભાષચંદ્ર, એમ. એન. રાય, ડૉ. રહ્મલઅલીનાં સંપર્કમાં રહ્યા. ઘણા સમય બાદ ગાંધીજીનાં સંપર્કમાં આવ્‍યા અને અહિંસાનો સ્‍વીકાર કર્યો. તા. ૨૯/૦૮/૧૯૭૯ નાં રોજ તેમનું નિધન થયું.

સર ફિરોજશાહ મેહતા (૧૮૪૫-૧૯૧૫)

ફિરોજશાહ મેહતાએ મુંબઈ પ્રેસિડેન્‍સી એસોસિએશનની સ્‍થાપના ઈ.સ. ૧૮૮૫ માં કરી અને જીવનપર્યત તેમનાં અધ્‍યક્ષ બની રહ્યા. ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસનાં સંસ્‍થાપકોમાં ચાર દાયકાઓ સુધી સક્રિય રહ્યા હતા. ઈ.સ. ૧૮૯૩ માં કોંગ્રેસનાં કલકત્તા અધિવેશનમાં અધ્‍યક્ષ રહ્યા હતા.

સંકલન

નવીનભાઈ ઠક્કર

મો. ૯૮૯૮૩૪૫૮૦૦

Leave a Comment

Read More