મ્યુનિસિપલ કમિશનર ડી. પી દેસાઈ ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા બનાવેલા ચેકડેમોની મુલાકાતે

સૌરાષ્ટ્ર ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા કરેલ તેમજ નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે. તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને ખુબજ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષાથી પશુ, પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઈ રહી છે. ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવા અને ૧૧,૧૧૧ બોરરીચાર્જ નો સંકલ્પ કરવામાં આવ્યો છે.

એના ભાગ સ્વરૂપે રાજકોટ શહેરમાં પણ નાના મોટા ૧૧ ચેકડેમો અને સરોવર તેયાર કરેલ છે. જેનાથી સરોવરની આજુબાજુના વિસ્તારમાં સોસયટી અને ફ્લેટમાં ૧૫૦૦ થી ૨૫૦૦ ફૂટના બોરમાં તુરુ,કડવું, કછું પાણી હોવાથી પીવા અને વાપરવા લાયક હતું નહિ અને તેનાથી બીમારીનું પ્રમાણ વધતું અને પીવા માટે પાણીના ટાંકા મંગાવતા જેનો આર્થિક બોજો ખુબ જ રહેતો, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ લોગભાગીદારીથીથી ચેકડેમ બનતા વરસાદમાં બધા જ ચેકડેમ ભરાય જવાથી દરેક લોકોને બોરમાં ૨૦ થી ૨૫ ફૂટે પાણી આવી જવાથી ખુબ મોટો ફાયદો થયેલો છે. જેથી પહેલા જ વરસાદમાં ઘણા ડેમો ઓવરફલો થયેલ હતા. અજુબાજુના વિસ્તારમાં પાણીના સ્તર ઉંચા આવતા લોકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો.

રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ડી.પી દેસાઈ સાહેબે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા બનેલા ચેકડેમની મુલાકાતે છે. તેમણે તેમના સ્ટાફ એન્જિનિયરોને વોકળાવો દબાણ થયું હોય તેનો સર્વે કરી અને તાત્કાલિક ખુલ્લા કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી તેવું જણાવેલ છે. તેમણે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ ના આ કાર્યમાં જ્યાં જરૂર પડે ત્યાં મદ્દદ કરવાની વાત કરી હતી .

‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ના પ્રમુખ દિલીપભાઈ સખિયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, ડો.વલ્લભભાઈ કથીરિયા, અમુભાઈ ભારદીયા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી ગોપાલભાઈ બાલધા, પ્રવીણભાઈ ભુવા, હરીશભાઈ લાખાણી,રમેશભાઈ ઠક્કર,કરુણા ફાઉન્ડેશન જીવદયા પ્રેમી -મિતલભાઈ ખેતાણી, વસંતભાઈ લીંબાસીયા, અશોકભાઈ મોલિયા, મનીષભાઈ માયાણી, રતિભાઈ ઠુમ્મર, વિઠ્ઠલભાઈ બાલધા તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે જોડાયેલ છે. 

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More