ભચાવ થી અમદાવાદ કતલખાને લઈ જવાતા 14 અબોલ જીવોને ધ્રાંગધ્રા ખાતે બચાવી લેતા માલધારી યુવાનો

મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ના અજયભાઈ મુંધવા સહિત માલધારી જીવદયા પ્રેમીઓ ને મળતા ધ્રાંગધ્રા ની કલ્પના ચોકડી થી પોતાના કામ અર્થે બહારગામ જય રહ્યા હતા ત્યારે ત્યાં થી પસાર થય રહેલી બોલેરો પીક અપ શંકાસ્પદ લાગતા ગાડીને રોકી ડ્રાઈવર પુછપરછ કરતા જાણેલ કે બોલેરો પીક અપ ગાડીમા ક્રુરતા પૂર્વક બાંધેલા 14 અબોલ જીવો જે ભચાઉ થી અમદાવાદ ખાતે કતલખાને લઇ જવાતા હોય તેવી માહિતી મળતાં 14 અબોલ જીવોને છોડાવી પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા ત્યારે ડ્રાઈવર સલમાન સહિત અન્ય ફેજાન તથા ગાડી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ને સોંપી હતી આગળની કાર્યવાહી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી

રિપોર્ટ: રવિરાજ સિંહ પરમાર….ધાંગધ્રા

Leave a Comment

Read More