વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા ૫ ફેબ્રુઆરીએસોમવારના રોજ શબવાહીનીનું લોકાર્પણ

વિસાવદરતા.ગણપતિ ઉત્સવ સમિતિ- વિસાવદરના પ્રમુખ સુરેશ ભાઈ સાદરાણી તથા વિસાવદરના એડવોકેટ નોટરી નયનભાઈ જોશી અને ધર્મેન્દ્રભાઈ વિરાણી દ્વારા છેલ્લા દોઢથી બે મહિનાથી ચાલતા શબવાહીની માટે એકત્રિત કરાતા લોકફાળાથી ખરીદ કરવામાં આવેલ શબવાહીનીમાં જરૂરી સ્ટેચર સાથેની સુવિધાઓ સાથેની શબવાહીની તૈયાર થઈ ગયેલ હોય જેનું લોકાર્પણસુરેવધામ ચાંપરડા આશ્રમના મહંત અને ભારત સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ
શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા ના સભાપતિ પૂજ્યમુકતાનદજીબાપુના તથા સતાધાર પૂજ્ય આપાગીગાની જગ્યાના મહંત અને ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજયબાપુની વરદ હસ્તે તારીખ ૦૫/૦૨/૨૪ ના રોજ દાતાઓની તથા વિસાવદર શહેર તથા તાલુકાની જનતાની વિશેષ ઉપસ્થિતિમાં ગૌશાળા-વિસાવદરના મેદાનમાં સવારના ૧૦-૦૦વાગ્યે રાખેલ હોય આ શબવાહીનીના લોકાર્પણના શુભ અવસરે તમામ દાતાઓ તથા શહેર અને તાલુકાની જનતાને ઉપસ્થિત રહેવા ગણપતિ ઉત્સવ સમિતિ તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

Leave a Comment

Read More