10 લાખથી વધુની કિંમતના દાગીના ભરેલી રેલ્વે મુસાફરની બેગ રેલ્વે સ્ટાફની મદદથી મળી

વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝન રેલવે મુસાફરોને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. ડિવિઝન પર “ઓપરેશન અમાનત” અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા રેલવે મુસાફરોના ખોવાયેલા સામાનને સોંપવાનું કામ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં બેંક મેનેજર અજય કુમાર ગુપ્તા તેમના પરિવાર સાથે 31 જાન્યુઆરીના, 2024 રોજ પ્રયાગરાજ જંક્શનથી અમદાવાદ જંક્શન જતી બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન નંબર 12946માં બેઠા હતા. તેમની પુત્રીના લગ્ન 27 જાન્યુઆરી, 2024ના રોજ થયા હતા અને રિસેપ્શન 01 ફેબ્રુઆરી, 2024ના રોજ અમદાવાદમાં યોજાવાનું હતું.
અમદાવાદ ઉતરતી વખતે તેમની એક બેગ અકસ્માતે બોગી નંબર B3માં રહી ગઈ હતી. તે થેલીમાં 10 લાખ રૂપિયાથી વધુની કિંમતના દાગીના રાખવામાં આવ્યા હતા. ટ્રેન અમદાવાદ સ્ટેશનેથી નીકળી હતી.
તેણે તરત જ રેલવે કર્મચારીઓ અને અધિકારીઓનો સંપર્ક કર્યો. ભાવનગર રેલ્વે મંડલના સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર શ્રી સી.આર. ગરૂડ઼ાને આ વાતની જાણ થતાં તેણે તરત જ ગાંધીગ્રામના સ્ટેશન માસ્ટરનો સંપર્ક કર્યો હતો. રેલ્વે કર્મચારીઓએ મુસાફરના કહેવા મુજબ કોચની શોધખોળ કરી અને બેગ સલામત રીતે મળી. રેલવે કર્મચારીઓએ મુસાફરનો સંપર્ક કરીને બેગ પરત કરી હતી.
મુસાફર દ્વારા તમામ દાગીના અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું. તેમણે આ ઉત્કૃષ્ટ કાર્ય માટે રેલવે પ્રશાસન, સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરી, જેમના પ્રયત્નો અને ઈમાનદારીના કારણે તેમને તેમનો સામાન મળ્યો.
ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર અને એડિશનલ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્માએ પણ સ્ટેશન માસ્તર ગાંધીગ્રામ અને સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.

Leave a Comment

Read More