Search
Close this search box.

Follow Us

કચ્છ થી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલો–સૂકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ

રાજકોટમાં છેલ્લા ૨૫ વર્ષથી ચલાવવામાં આવતી શ્રીજી ગૌશાળા કે જયાં ૧૯૦૦ થી વધુ ગૌમાતાઓનો નિભાવ થઈ રહયો છે સાથે સાથે આજુબાજુના વિસ્તારોની નાની–મોટી ગૌશાળાઓને પણ મદદરૂપ થઈ રહયાં છીએ. કચ્છ જિલ્લાનાં રાપર તાલુકાના પશુ પાલકોની ગાયોને પશુ પાલકો સાત થી આઠ માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે પરંતુ આ ઉનાળાના ધોમધખતા તાપમાં ૪ થી ૫ મહિના સુધી ગાયોને ચરવા માટે કાંઈ મળતુ નથી તે માટે સૌ કોઈનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે જે દ્વારા લીલા સુકા ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ ન્યારા ગામ ખાતે અને રતનપર ગામ ખાતે અત્યાર ૩૦૦ થી વધુ ગાયો આશરો લઈ રહી છે. તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસ પહોંચાડવામાં આવે છે તેવી જ રીતે રાપર તાલુકાના ખાંડેર, આડેસર, પલાસવા, લોદરાણી, નાગપુર અને ટગા ગામની ૨૦૦૦ થી વધુ ગાયોને ઘાસચારો હજુ ૩ થી ૪ માસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામા આવશે. અબોલ જીવોને સાચવવાનું એકમાત્ર કારણ એ છે કે ગાયો અમૃત જેવું દુધ, ગોબરથી નવી જમીનનું સર્જન થાય છે અને ગૌમૂત્ર દ્વારા પેસ્ટીસાઈડનો કુદરતી વિકલ્પ છે જેના દ્વારા મનુષ્યમાં બીમારીઓનું પ્રમાણ ઘટે છે, વિકારો જન્મતા નથી જેના હિસાબે દયા, કરૂણાનો ભાવ પ્રગટ થાય છે. ગાયોને લીલો—સુકો ઘાસચારો નીરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાનાં ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર દ્વારા અપીલ કરવામાં આવી છે.

અનુદાન આપવા માટે ‘શ્રી વલ્લભીય વૈષ્ણવ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ’ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનાં એકાઉન્ટ નં. 63007765851, જીમખાના રોડ શાખા, જેના IFSC CODE – SBIN0060070 પર અનુદાન મોકલી શકો છો.

આ અંગેની વિશેષ માહિતી માટે ડો. પ્રભુદાસ તન્ના મો.નં.૯૮૨૫૪ ૧૮૯૦૦, રમેશભાઈ ઠકકર મો.નં. ૯૯૦૯૯ ૭૧૧૧ ૬ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Bhagvat Bhumi
Author: Bhagvat Bhumi

Leave a Comment

Read More