વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ તથા ગણપતિ ઉત્સવસમિતિ દ્વારા અષાઢી બીજના રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

 

વિસાવદરતા.વિસાવદર જગન્નાથ મંદિર ટ્રસ્ટ તથા ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા આજરોજઅષાઢી બીજ નિમિતે વિસાવદર સુંદરબા બાગ હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયાના ધર્મપત્ની નિષાબેન રિબડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિલીપભાઈ કાનાબાર,જગન્નાથ મંદિરના પૂજારી હિરેનભાઈ મકવાણા જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, એડવોકેટ નયનભાઈ જોશી,પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજ રિબડીયા,માનવ સેવા સમિતીના રમણિકભાઈ દુધાત્રા,લાયન્સ કલબના પ્રમુખ રમણિકભાઈ ગોહેલ,ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ વિજયભાઈ રિબડીયા, ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી તથા શહેર ના પત્રકારો ગ્રામ્ય પંથકના સરપંચો ઉપરાંત રક્ત દાતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા જેમાં જુનાગઢથી આવેલા ગિરનારી બ્લડ બેન્ક ચલાવતા દાતાઓનું તથા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું.(ફોટા સાથે)

Leave a Comment

Read More