જિ.શિ.તા.ભવન,ભાવનગરની WE શાખા દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લાના પર્યાવરણ પ્રવૃતિ કરતા શિક્ષકોનો સેમિનાર અધ્યાપક જાગૃતિબેન ભટ્ટના સંચાલન-માર્ગદર્શન હેઠળ યોજાયો. જેમાં પ્રથમ દિવસે વિક્ટોરીયા પાર્ક ખાતે આયુર્વેદાચાર્ય ડૉ. તુષારભાઈ ત્રિવેદી, શ્રી પરમાર સાહેબ, નિયામક કૃષિ, શ્રી કનુભાઈ ભટ્ટ ના,પ્રેરક પ્રવચન અને વિકટોરીયા પાર્કની મુલાકાત કરાવવામાં આવી. સેમિનારના બીજા દિવસે એસ.ટી. બસમાં ભાવનગરથી બોટાદ, અને ગઢડા અને રાણપુર તાલુકાની શ્રેષ્ઠ ઈકો ક્લબ કરવૃત્તિ કરતી શાળાઓની મુલાકાત લેવામાં આવી. જેમાં 50 જેટલા શિક્ષકોને ઈકો ક્લબ અને શાળા પર્યાવરણની જુદી-જુદી પ્રવૃત્તિઓથી માહિતગાર કરવામાં આવેલ.