શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની આનંદમય ઉજવણી મહિલા કૉલેજ, પાલિતાણાના આંગણે

શ્રીપાલિતાણા એજ્યુકેશન સોસાયટી સંચાલિત તથા શ્રીમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી પી.એન.આર.શાહ મહિલા કૉલેજ, પાલિતાણામાં આજ રોજ સવારે 9.00 કલાકે શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ નિમિત્તે કૉલેજનાં ટ્રસ્ટ્રી શ્રી મયૂરસિંહ સરવૈયા, આચાર્ય શ્રી ડૉ. પંકજ ત્રિવેદી તથા પ્રાધ્યાપક ગણ, કર્મચારી ગણ તેમજ સૌ વિદ્યાર્થિની બહેનો આ ઉત્સવના રંગે રંગાયા હતા. કૉલેજમાં પ્રભુ શ્રીરામના આગમનની શુભ ઘડીને વધાવી લીધી. પ્રભુ શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી, શબરી, હનુમાનજી, વગેરે પાત્રોની ભજવણી કરી ભાવવિભોર બન્યા. સમૂહ આરતી કરી પ્રસાદી વહેચીને શ્રીરામ, સીતા, લક્ષ્મણજીને વિદ્યાર્થિનીઓએ વર્ગમાં પોતાના પગલા પાડી ખુશહાલી મનાવી. વર્ગમાં અયોધ્યા નગરીની ઝાંખી કરાવી, રંગોળી, દીપપ્રાગટ્ય, આરતીની થાળી તથા સુશોભન કાર્ય કરી આ મંગલ પર્વની ઉજવણી હર્ષભેર કરી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ પ્રસ્તુતિ સાથે ઉર્મિલા પાત્રની વિરહતા હદયસ્પર્શી રહી. સમગ્ર કૉલેજ પરિવાર એકજૂથ થઈ આ ઉત્સવમાં પોતાના આત્મારૂપી રામને સદા પ્રજ્વલિત રાખી वसुधैव कुटुम्बकम् ની ભાવના ખીલવી. એકંદરે ટ્રસ્ટી શ્રી, આચાર્ય શ્રી અને પ્રાધ્યાપક ગણે સૌને અભિનંદન પાઠવી જય જય શ્રીરામના નાદ સાથે આ અવસરને વધાવી લીધો.

Leave a Comment

Read More