રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઇ રાડીયા, માધ્યમિક શિક્ષણ અને આનુસાંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસિલાબેન સાકરીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ તા.૧૧/૦૫/૨૦૨૪ના રોજ ધોરણ–૧૦ની બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર કરેલ છે. આ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવતા જણાવે છે કે, વિદ્યાર્થી જીવનનો સુવર્ણ સમય એ ધોરણ–૧૦ની પરીક્ષાના પરીણામનો છે. ધોરણ–૧૦એ વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દીનો પાયો ગણાય છે જેના પર જ કારકિર્દીની ઇમારતનું ચણતર કરવામાં આવે છે. આ પરીક્ષાના પરીણામ બાદ વિદ્યાર્થીઓને સાયન્સ, કોમર્સ, આર્ટ્સ વગેરે જેવા પ્રવાહમાં પોતાની કારકિર્દીના ઘડતર કરવા માટે એક નવી દિશા મળે છે.
મનુષ્યના જીવનના દરેક તબક્કે અનેકવિધ કસોટીઓ આવતી હોય છે જેથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ઓછા ટકા સાથે ઉતીર્ણ થયેલ તેમજ નાપાસ થયેલ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી. ભવિષ્યમાં ફરી ખૂબ મહેનત અને પુરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવાથી જ્વલંત સફળતા ચોક્કસપણે પ્રાપ્ત થાય છે તેમ અંતમાં જણાવે છે.
![Bhagvat Bhumi](https://secure.gravatar.com/avatar/0a7b601146069a0861ca5cc0771ea197?s=96&r=g&d=https://bhagvatbhumi.in/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)